Tuesday, 10 April 2018

સંસ્કારનું શિક્ષણ

*સંસ્કારનું શિક્ષણ*
સંસ્કાર એટલે શું? આમ જો જોવા જઈએ તો આજના ૨૧ મી સદીના યુવાન, યુવતીઓને કે બાળકોને  પુછવામાં આવે તો કેટલાક મજાક સમજીને હસી નાખશે.
      પરંતું સંસ્કાર જીવનમાં જાળવી રાખવા ખુબ જ જરૂરી છે
સંસ્કારનું શિક્ષણ મળે ક્યાંથી?
       આજના બાળકને પુછો તો જવાબ શું આપશે કેટલાકને ખબરજ નથી હોતી,
કારણ કે આજના આ ઝડપી અને ઈન્ટરનેટ ટેકનોલોજીના યુગમાં આ વસ્તું લુપ્ત થતી જોવા મળી રહી છે, જેથી કરીને માતા પિતા એ પોતાના બાળકોને સંસ્કારનું શિક્ષણ પણ સ્કૂલ અને કોલેજના શિક્ષણ સાથે આપતું રહ્વુ જોઈએ,
આમ તો જોવા જઈએ તો સંસ્કાર તો બાળકને પોતાના માતા પિતા તરફથી જ મળે છે અને મોટા ભાગે તો બાળક પોતાના માતા પિતાના વર્તન વ્યવહાર માથી પણ અનુસરણ કરતા હોય છે
બીજી રીતે જોવા જઈએ તો સંસ્કાર એ માતા પિતા તરફથી મળેલી ભેટ જ કરેવાય,
સંસ્કાર એટલે તમારા વર્તન વ્યવહારને સમસ્કાર કહેવામાં આવે છે.
*રજની પરમાર*

No comments:

Post a Comment

પ્રેમ

 જ્યારે કોઈ પુરુષ ને કોઈ સ્ત્રી પસંદ આવે છે, ત્યારે તે દિલજાન લગાડીને તેને પામવાના પ્રયત્ન માં લાગી જાય છે,ગિફ્ટો આપવી મેસેજ માં રિપ્લાય ના ...